હાથરસમાં 122 લોકોનાં મોતનો મામલો: ભકતોએ શાં માટે કાર્યક્રમનાં અંતિમ ભાગમાં પડાપડી કરી? કઈ બાબતે લોકોને એવું થઈ ગયું કે અમે રહી જઈશું અને બીજાને મળી જશે...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03072024_061447_Hathras Incident.webp)
- 03 Jul, 2024
ઉત્તરપ્રદેશના હાથરસમાં મંગળવારે નારાયણ સાકાર હરિ જેમને ભોલે બાબા તરીકે ઓળખવામાં આવે છે, તેમના સંત્સંગ કાર્યક્રમ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં 122 લોકોના મોત થયા હતા. જ્યારે સંખ્યાબંધ લોકોને ઈજા થઈ છે. કાર્યક્રમમાં અચાનક ભાગદોડ ત્યારે થઈ હતી, જ્યારે ભક્તોએ બાબાના ચરણની રજ લેવા માટે પડાપડી કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં મંગળવારે નારાયણ સાકાર હરિ જેમને ભોલે બાબા તરીકે ઓળખવામાં આવે છે, તેમના સંત્સંગ કાર્યક્રમ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં 122 લોકોના મોત થયા હતા. જ્યારે સંખ્યાબંધ લોકોને ઈજા થઈ છે. કાર્યક્રમમાં અચાનક ભાગદોડ ત્યારે થઈ હતી, જ્યારે ભક્તોએ બાબાના ચરણની રજ લેવા માટે પડાપડી કરી હતી.
સત્સંગ ખુલ્લામાં યોજાયો હતો. જે જગ્યાએ સત્સંગ યોજાયો હતો, ત્યાં ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી 50,000 ભક્તો આવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણ થવાની તૈયારી હોવાના પગલે લોકોએ બાબાના ચરણની રજ તેમને પ્રાપ્ત થાય અને તેમના આર્શીવાદ મળે, તે માટે તેમની નજીક જવા ધક્કામુક્કી કરી હતી. જેના પગલે સત્સંગના સ્થળે ભાગદોડ થઈ હતી.
ઘટનાને નજરે જોનારના જણાવ્યા પ્રમાણે લોકોએ બાબાની રજને લેવા માટે ધક્કામુક્કી કરવાનું શરૂ કર્યું હતું. તેના કારણે એકની ઉપર એક લોકો પડતા મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા અને કેટલાક શ્વાસ ન લઈ શકવાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
ઘટના બાદ સત્તાવાળાઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની તપાસ થાય તે માટે પોલીસ ફરિયાદ નોંધી છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ હતી. તેના કારણે સત્સંગ દરમિયાન ધક્કા મુક્કી થઈ હતી. આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા સોશિયલ વેલફેર મિનિસ્ટર અસીમ અરુણે જણાવ્યું હતું કે અમે હાલ આ ઘટનાની સઘન તપાસ કરી રહ્યાં છે. આ તપાસ દરમિયાન પોલીસ અને કાર્યક્રમના આયોજકની આ ઘટના બનવામાં શું ભુમિકા હતી, તે નક્કી થશે અને પછીથી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધક્કામુક્કીની આ ઘટના પછી 20 જેટલા લોકો હાલ ગુમ છે. જોકે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ ગુમ થયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આજ સવાર સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.